Saturday 30 August 2014

ભ્રષ્ટાચારરૂપે ચક્રવ્યૂહ અને 'ભારત' એક અભિમન્યુ

                  છેતરપીંડી/ભ્રષ્ટાચાર/લાગવગ/લાંચ/રિશવત,આ તમામ (અપ)શબ્દો વારંવાર કર્ણપટલ પર પ્રતાડિત થવાની નિયમિતતાએ આજનો લેખ લખવાની પ્રેરણા આપી છે.આ સર્વેના દમન અને શમનની વાતો તો ઘણી જ ચર્ચાય છે,પરંતુ આ લેખમાં એ બધી વાતોની પેલેપારની હકીકતથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે.સાંજની ચાની ચુસ્કી સાથે આવેલા વિચારનું આ સ્વરૂપ શીર્ષકને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન સફળ નીવડે તેવી આશા!!
                  ભ્રષ્ટાચાર=ભ્રષ્ટ+આચાર અર્થાત વ્યક્તિના આચાર(પણ મોટા ભાગે વિચાર)માં ભ્રષ્ટતા વ્યાપ્ત થતા ઘટતી દુર્ઘટના.ચપરાસીથી માંડીને સર્વોચ્ચ હોદ્દા પર પર બિરાજમાન વ્યક્તિને “UNDER THE TABLE” રૂપિયા પચાવી પાડવાની લાજવાબ સમજણ છે.જો તમે કાયદા અને કાનૂનથી કામ કઢાવવા જાઓ તો તેઓ ના જાણે કઈ અનભિજ્ઞ કલમ અને કયા એક્ટ હેઠળ તમારા કામને ગેરકાનૂની ઠેરવી દે તેના વિષે “NO IDEA”!!.અને પછી એ જ અમલદાર યથાયોગ્ય રકમ લીધા પછી તમામ કાયદાઓ નેવે મુકીને SAME કામ કરી આપે છે.આ અનુભવ એ માનવા આપણને મજબૂર(અને મનને મજબૂત) કરે કે “રૂપિયાનું મુલ્ય દેશના અમુલ્ય ગણાતા કાનૂન કરતા ઉચ્ચ કોટિનું છે.”
                   ધ્યાનથી અને ખરા હૃદયથી વિચારવામાં આવે તો આ સર્વેના મૂળમાં પણ આપણે સૌ જ છીએ.મેં પણ ઘણા ‘એવા’નો પરિચય લીધેલો છે કે જે ભ્રષ્ટાચારના વિરોધી હોય પણ સમય આવે ત્યારે એ જ વિરોધને સમર્થન આપીને પોતાનું અંગત કામ પર પડતા હોય છે.ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહનું કોણ જાણે આ કયું ચરણ છે જેમાં ભારતરૂપી અભિમન્યુ કેટલી હદે ફસાયો છે જેનું વર્ણન અકલ્પનીય છે.
                   સતત એક જ સવાલ ઘેરી વળે કે શું અભિમન્યુની માફક આપણો દેશ પણ આ ચક્રવ્યુહમાં દમ તોડશે????? તો જવાબ છે “જી ના”!!!! કારણ કે અભિમન્યુ ચક્રવ્યુહમાં પ્રવેશવાનું જ જાણતો હતો પણ નીકળવાનું નઈ,પરંતુ આપણે સૌ તો બંને દાવપેચથી સારી રીતે વાકેફ છીએ! તો પછી એ બધા અમલી ક્યારે કરીશું??યુદ્ધના ચક્રવ્યૂહમાં અભિમન્યુનું મૃત્યુ એ તેની નિયતિ હતી પણ દેશની નિયતિના ઘડવૈયા તો આપણે દેશવાસીઓ જ છીએ અર્થાત આપણા મનમાં રહેલા ભ્રષ્ટાચારના વિરોધપણાને માત્ર શબ્દોમાં જ નહિ પરંતુ વ્યવહારિક અને વાસ્તવિક જીવનમાં બયાં કરવાનો સમય હવે પાકી ગયો છે.
                   એવું નથી કે વ્યક્તિગત અટકાવરૂપી બ્રહ્માસ્ત્રથી પળભરમાં આ વ્યૂહ ધ્વસ્ત થઇ જશે પણ વ્યક્તિમાત્રથી થતી શરૂઆતથી એક ભ્રષ્ટાચાર રહિત સમાજની રચના તો નિસંદેહપણે શક્ય છે જ.
                     *સ્વયં વિચાર અવશ્ય કરજો*                                                                                                      àBHARGAV

                

Friday 29 August 2014

'Hurry'માં છો? તો પછી 'હરિ'માં ક્યારે?

                                                 "I am in little hurry right now, so will talk to you later"!!!! આવા શબ્દો કોઈકના મોઢે હું લગભગ રોજ સાંભળું છું અને માનું છું ત્યાં સુધી તમે પણ સંભાળતા જ હશો.અને સાથે જ વિચારું છું કે ખરેખર આ માણસ "talk to you later" (whats app ની ભાષામાં ttly)નું પાલન કરે છે ખરો?? લાગે છે કે આ hurry શબ્દની શોધ સુવિધા કમ આપત્તિજનક વધારે છે.આજકાલ લગભગ બધા જ લોકોને કંઇક ને કંઇક કામને અંજામ આપવાની ઉતાવળ હોય છે,અને એ કામ પૂર્ણ થયું તો ના હોય અને કોઈ અન્ય કામ ને આખરી ઓપ આપવાની જલ્દી હોય છે.
                                                 Highways પર, tolltax પર અને even ટ્રાફિક સિગ્નલ પર પણ આ Hurry નું વર્ચસ્વ જોવા મળશે.કોઈપણ વ્યક્તિને (પછી ભલેને એ સાયકલ પર હોય કે લક્ઝરી કારમાં) જરાપણ રાહ જોવી નથી.વળી સરકારી ઓફીસોની બારી આગળ થતી લાઈનમાં તો એટલી બધી જલ્દીવાળા માણસોનો પરચો મળશે કે જાણે આ સ્થળે તો તેઓ માત્ર ઔપચારિક સ્વરૂપે જ ઉપસ્થિત છે.પછી જલ્દી ના બહાના હેઠળ એમને પ્રથમ તક આપવા જતા આપણી પરિસ્થિતિ નાના પાટેકરની ફિલ્મ 'ક્રાંતિવીર' માં પાણીના નળ પાસે ઘડો લઈને ઉભેલી પેલી વિધવા બહેન જેવી પ્રતીત થાય છે.
                                                  જો આ જ Hurry શબ્દને આપણી માતૃભાષામાં એ જ સ્વરૂપે લખવામાં આવે તો બનતો શબ્દ "હરિ" છે, અને હરિ એ સર્વ "hurry" નો પરિણામકર્તા છે.અર્થાત્, જગતની તમામ 'hurry' નો અંતિમ નિર્ણય હરિના જ હાથમાં છે.તમે કહેશો કે હરિ અને hurry ને કોઈ સંબંધ કેવી રીતે હોઈ શકે???તો એના જવાબમાં મારા favorite મહાભારતનું દ્રષ્ટાંત આપું કે આ યુદ્ધ અઢાર દિવસોના બદલે માત્ર ૧૮ સેકંડમાં જ પૂરું થઇ ગયું હોત જો ભગવાન કૃષ્ણ hurryમાં હોત!!!! જો ભગવાન સ્વયં જ કોઈ પણ કાર્યના સમાપનની નિશ્ચિત સમય સુધી રાહ જોતા હતા તો પછી 'who we the humans are to be in a hurry'!!! 
                                                  આથી જ વિચારું છું કે hurryમય બનવા કરતા હરિમય બનવામાં શાણપણ છે. સહમત ???
                                                                                                                    -BHARGAV               
                               

Tuesday 26 August 2014

KRISHNAISM

'KRISHNA' :- The name itself implies a God who is favorite to all kind of people from all religions.Each and every person whom u ask about KRISHNA,he/she will tell u about all the good deeds of Lord and  all the good qualities that KRISHNA had.BUT the thing is not all about knowing everything about KRISHNA,my question lies in how much "KRISHNA-ISM" that we have gained???

KRISHNA was a good son,a good student,a good friend,a good teacher,a good philosopher, and the endless list could be made up.Lord KRISHNA had so many faces such as with Sudama,Odhav &Draupadi he was a good friend,with Arjuna he was a teacher,with Yashoda and Nand he was a son,and much more.KRISHNA had given all the respect and equality to all these characters."ARE WE DOING THIS??"..(blank)...Are we giving the equality to all our characters?(hardly we r having maximum two or three characters to play)......

In whichever character Krishna had always been concerned with WELFARE OF THE SOCIETY.He never thought about own life.For the implementation of DHARMA, he even did not concern with his happiness.ARE WE CONCERNED WITH THE WELFARE OF OUR OWN SOCIETY?

Kishna Janmotsav is celebrated all over the India every year, but during the period of one year (if we think with honest heart)up to how much extend we have implemented the good qualities of Lord Krishna in our actual life?(#swayam_vichar_kijiye)!!!




ચિંતાથી ચિંતન સુધી

                                       સામાન્ય રીતે ચિંતા એ દરેક જીવના જીવનનું અભિન્ન પાસું છે.ચિંતા વિષે અત્યાર સુધી અગણિત લેખ લખાયા છે પરંતુ લેખક અને એ વ્યક્તિ કે જે ચિંતામાં છે તે બંનેની મનઃસ્થિતિ વચ્ચે એક સંસારી અને સન્યાસી જેટલો તફાવત છે.ચિંતા વિષે લખનાર લેખકને  માત્ર કલ્પનાથી સમગ્ર લેખ ની રચના કરવાની હોય છે જયારે ચિંતામાં રહેલો માનવી એ કલ્પનાને વાસ્તવિકતાના સ્વરૂપમાં જીવી રહ્યો હોય છે.પણ આ ચિંતાનું ખરેખરું વર્ણન છે શું? ચિંતાની વ્યાખ્યા શું છે?
                                       મારા અનુભવ અનુસાર ચિંતા એટલે "વર્તમાનમાં ઘટતી ઘટનાઓનું ભવિષ્ય સાથે અકારણ થતું જોડાણ".અર્થાત સામાન્ય અર્થમાં ચિંતા એ ભવિષ્યનું ભયાવહ કાલ્પનિક સ્વરૂપ છે.ચિંતાની પ્રકૃતિ માણસે માણસે બદલાતી રહેતી હોય છે.પરંતુ આ બદલાતા સ્વરૂપોની ક્યાંક ને ક્યાંક તો સુસંગતતા નિશ્ચિતરૂપે હોય જ છે.
                                       ચિંતાનું " hot favorite " ઉદાહરણ જોઈએ તો:-માતાપિતાને પોતાના સંતાનના વિષયમાં ચિંતા હોય કે મારો દીકરો/દીકરી સારી રીતે ભણીગણીને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરે એટલે બસ ચિંતા પૂરી,પણ એ જ માતાપિતાને  એ ચિંતા પૂરી થયા બાદ એ હોદ્દા પરથી એક ઉપરના હોદ્દા પર સંતાનને જલ્દીથી પહોચતા જોવાની ચિંતા થાય છે.આમ આ ઉદાહરણ દ્વારા દેખીતું જ છે કે ચિંતા અલગ અલગ સ્વરૂપે પણ અનંત છે.
                                       આ તો થઇ ચિંતા વિશેની વાત ! પણ જો ચિંતાથી મુક્ત એવું  અચિંત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો શું ઉપાય છે?આ સવાલના જવાબ માં ઘણા સ્વરૂપો હોઈ શકે છે.કોઈ કહેશે કે ચિંતા કરવી જ શું કામ?,તો બીજું વ્યક્તિ કહેશે કે જે મળે તેમાં સંતોષ રાખવો,પરંતુ એ સતોષ જ અસંતોષ જન્માવે ત્યારે શું?.વસ્તુતઃ આ બધા ઉત્તરોથી પરે પણ એક ઉત્તર છે અને એ છે "ચિંતન ".
                                       ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જયારે કોઈ ચિંતા હોય ત્યારે ચિંતન કરવું આવશ્યક છે.ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિ વિશેનું ચિંતન જ માત્ર એક ઉપાય છે.સામાન્ય રીતે ચિંતન કરવું એ કોઈ તપસ્યા કરવા જેવું આકરું કાર્ય નથી,આપણે સૌ દરેક સંજોગોમાં ચિંતન કરવા માટે સક્ષમ હોઈએ છીએ જરૂર છે તો માત્ર એક પ્રયાસની.ચિંતનની સાદી વ્યાખ્યા છે કે"ચિત્તને ઝંઝોડવાની પ્રક્રિયા એટલે જ ચિંતન".ચિંતાના મૂળમાં માત્ર મનની અકળ ગતિ જ છે.જયારે આપણું હૃદય આપણા મનને આધીન થઇ જાય છે ત્યારે ચિંતા જન્મ લે છે.
                                       આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે સંસારી અને સન્યાસી વચ્ચે શું તફાવત છે?જવાબ એ છે કે સંસારી વ્યક્તિ હંમેશા ચિંતામાં હોય છે જયારે સન્યાસી સદાય ચિંતનમાં રાચતો હોય છે.મારો કહેવાનો મતલબ એ નથી કે આપને પણ સન્યાસી થઈને સતત ચિંતન કરતા રહીએ પરંતુ આપણે  "ચિંતા ચિતા સમાન છે " પંક્તિનો અર્થ  જાણીએ છીએ પણ તેનો મર્મ નથી સમજી શક્યા.
                                       પ્રથમ જોતા ચિંતાની પરિસ્થિતિમાં મનને ચિંતનમાં કાર્યરત કરવા માટે ઊર્મિક પરિશ્રમ કરવો આવશ્યક છે પરંતુ "ચિંતાથી ચિંતન સુધીની સફરમાં થોડું SUFFER થવું એ ચિંતાના લીધે SUFFER થવા કરતા સવાયું છે."                      
                                                                                             
                                                                                                                --BHARGAV K PATEL

ઓળખાણનું "જેક" સ્વરૂપ

                                       "ફલાણી જગ્યાએ જતા રહો,ત્યાં આપણે ઢીકણાભાઈ સાથે ઓળખાણ છે.કામ થઇ જશે." આવું વિધાન આજકાલ સાંભળવામાં સામાન્ય છે."મારા છોકરા/છોકરી ને ફલાણી નોકરી કરાવવી છે એ ઓફીસમાં આપનો કોઈ 'જેક' ખરો?" આ વાક્ય કોઈ ચિંતિત વાલીના મુખમંડળે સંભળાય છે.જુના સમયમાં શેઠ શગાળશાની ઓળખાણ પર હુંડી લખીને પુણ્યના કામ થતા હતા,પરંતુ આજે એ જ ઓળખાણ અંગત સ્વાર્થ માટે વપરાતી જોવા મળે છે.જેકની વ્યાખ્યા જ ઓળખાણના સ્વાર્થીક ઉપયોગ સાથે સંકળાયેલી છે.
                                        ઓળખાણને વાપરવાની સૂઝ ક્યારથી આટલી પ્રબળ બની તેનું કોઈ ચોક્કસ સમયમાપન નથી,પણ એટલું જરૂરથી દેખીતું છે કે આ સમજ ભ્રષ્ટાચારના જેટલી જ વિકટ છે."ઓળખીતો હવાલદાર જ બે ડંડા વધારે મારે" એ કહેવતનકામી જણાઈ રહી છે.આજના વિદ્યાર્થીને લાયકાતના આધાર પર નોકરી મેળવવા કરતા કોઈના 'જેક'થી મેળવવામાં વધારે વિશ્વાસ છે.વળી,સરકારી ખાતાઓમાં તો આ દુષણ અસહ્ય પ્રમાણમાં ફેલાયેલું છે.ઘણાંખરા ગુનેગારો પણ વકીલોની ઓળખાણની છત્રછાયાના લીધે મોટી મોટી સજાઓથી બચી જવા પામે છે.ટ્રેનના આરક્ષણથી માંડીને સરકારી નોકરીઓ સુધી ઓળખાણ અને ઓળખીતાઓનો જ દબદબો છે.
                                        પરંતુ જો ધ્યાનથી વિચારવામાં આવે તો જે વ્યક્તિની ઓળખાણ (જેક) નથી તેમનું શું? Perticularly શિક્ષણ ક્ષેત્રે જ વાત કરું તો જે વિદ્યાર્થી સાચા અર્થમાં વિદ્યાનો અર્થી છે તે દિવસ રાત એક કરીને ઉત્તમ જ્ઞાન તો પ્રાપ્ત કરે છે પરંતુ તેમ છતાં એ પોતાના જ સહપાઠી કે જેની ઓળખાણ વધુ અને લાયકાત ઓછી છે તેના કરતા મોડી અને ઓછી ગુણવત્તાવાળી નોકરી મળતી હોય છે.આજ સુધી મેં ઘણાને એવો ફાંકો મારતા જોયા છે કે "મારે તો માત્ર  ડિગ્રી જ જોઈએ છે બાકી બધું સેટીંગ પપ્પા કરી દેશે" પણ તેઓ એ નથી જાણતા કે પોતે બીજાનો હક છીનવી રહ્યા છે.
                                        જો આપણી આસપાસ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો જાણવા મળશે કે ઘણા લોકો 'જેક'-આધીન જ છે.ઓળખાણનું જેક સ્વરૂપ એટલું વિસ્તૃત છે કે ઘણી વાર તો આપણે પણ વિચારમાં પડી જઈએ કે "સાલું ઓળખાણ નઈ હોય તો કામ કેવી રીતે થશે?".
                                        આમ,ગુઢતાભરી અસમંજસમાં નાખી દેતા આજના આ 'જેક-યુગ'માં જેક વગર જ કોઈ કામ થઇ જાય તો એ મળેલી મોટી સફળતાથી ઓછું નથી.
                                                                                            BHARGAV