Tuesday 15 December 2015

Ek Deewana Tha

Sachin is a student of mechanical engineering in Mumbai who aspires to become a filmmaker. His friend introduces him to cinematographer Anay . With Anay's help, Sachin becomes an assistant director. Sachin's family, who are Marathi Brahmins, rent Jini house. Jini is from a conservative Malayali Nasrani Christian family from Alappuzha, Kerala, that lives upstairs. Sachin falls in love with Jini the moment he meets her. Sachin tries to interact with Jini, who is afraid of speaking to men around her strict father, and ends up angering Jini. Unable to hide his feelings for her any longer, Sachin confesses his love for her, to which she does not respond. A few days later, Sachin learns from his sister that Jini has gone to Kerala to visit her grandmother. He, along with Anay, ends up in Kerala to look for her. After several days, he finds her, apologises and she introduces him to her family in Kerala as her "classmate". Jini denies she has any feelings for him, but agrees to be his friend. On the train journey back home, however, the two get closer and share a passionate kiss. Sachin is convinced Jini loves him; the two meet several times and Jini begins to admit that she also likes Sachin, but wants to refrain from any problems because she knows her father wouldn't give her hand in marriage to a Hindu. Consequently, due to various misunderstandings between Jini's brother and Sachin, her parents learn of their supposed affair. They fix a match and schedule her wedding. The day arrives and midway through the ceremony, Jini refuses to marry the groom, displeasing everyone in her family. Sachin, who had, without anyone's knowledge, come to Kerala to witness the wedding is ecstatic and secretly visits Jini at her home. It is then that Jini admits she has indeed fallen in love with him. Sachin and Jini  continue to love each other without the knowledge of their parents.

At this point of time, Sachin goes to Goa on a 40-day shoot, where he gets busy. Meanwhile, the topic of Jini's marriage comes up again at her home when the guy whom she refused to marry earlier pays them a visit. Panicking, Jini calls Sachin and tells him that she wants to elope with him. Sachin, who he is travelling through less than ideal places, tells Jini to stay in Mumbai for now, and that soon he would be back and they can discuss. Jini stops taking Sachin's calls and so he goes back one night to check on Jini. He comes to know that Jini has decided to break up, as the relationship is not peaceful due to her parents' disapproval. She says she has agreed to get married to a boy of her parents' choice. When Sachin pleads her not to do it, she tells him that a time had come when she was willing to elope, but the moment was gone. She doesn't want Sachin to wait for her, as he has his dreams to fulfill. Sachin later comes to know that she is married and settled abroad.

Two years later, Sachin meets Samantha (Samantha Ruth Prabhu). She falls in love with him, but is rejected by Sachin who feels that he hasn't yet gotten over Jini. He then comes up with a script for his first film, which happens to be his very own love story. He calls upon an actor as the film's protagonist, Samantha as the female lead and Anay as the film's cinematographer, and the film is eventually titled Jini. While shooting for the film in Taj Mahal, he sees Jini and she comes to speak with him. She admits that she is not married and is still in love with him, and he too says she is still in his heart. Sachin proposes yet again and they get married the same day. This is actually revealed to be the end scene in Sachin's film – which Sachin and Jini in real life are watching together in the theatre. After the film ends, Jini praises Sachin for his efforts and the latter agrees to drop her home, implying that they are reunited.

                              -Jaimin Patel

Saturday 28 November 2015

પ્રેમ...!

બે હ્રદય ને આમ તડપાવે છે આ પ્રેમ..
મન રડે અને આંસુ વરસાવે છે આ પ્રેમ..
લોહ માથી કાચ થઇ જાય એમ,
દુશ્મની પણ પલટાવે છે આ પ્રેમ..
એક સરખા દિલ મળે જો જીવન રાહ માં,
તો ધરા પર સ્વર્ગ ઉતારે છ આ પ્રેમ..
લાગણીના આ શબ્દો મારા ઉકેલજો,
જીંદગી નો અર્થ સમજાવે છે આ પ્રેમ..
જેને તમે દીવસ ભર યાદ કરો છો,
એ મીઠી યાદ નુ સોનેરી સપનુ લાવે છે આ
પ્રેમ... !
                  -જૈમિન પટેલ

Tuesday 10 November 2015

દીવાળી વિશેષ

મૂક બધી જફાઓ એકબાજુ, ને મિત્રો સાથે મળી તું જલસા કર,
દિવાળી આવી આંગણે, બધું ભૂલીને તું મોજ કર.

ના હોય એના અભરખા ત્યજી, જે છે એમાં જ જાતને ખુશ કર,
દીવડા તણી જ્યોત બની, તિમિરને તું દૂર કર.

સામે કોણ છે એ જોતો નહી, જે મળે એને મળીને મન તૃપ્ત કર,
શત્રુ કે મિત્ર ભૂલી, તું ‘હેપ્પી દિવાલી’ વિશ કર.

સાફ નઈ હોય ઘર ભલે, પહેલા તું અંતરના ખૂણા ચકચકાટ કર.
ચિંતાના ગોળાને અધ્યાત્મ-જ્યોતથી ધ્વસ્ત કર.

ફેસબુક વોટ્સએપ મૂકી, રૂબરૂ મિલનમાં પોતાને તું વ્યસ્ત કર,
કુટુંબને સમય આપીને ઘડીક ચહેરા હસતા કર.
                                                               -ભાર્ગવ પટેલ 

Wednesday 26 August 2015

REALLY THE RIGHT PERSON IS RESERVED in INDIA?

As we all know about the Movement for being reserved, has been going on in GUJRAT by Patidar community, I am sharing my views on RESERVATION via my blog not as a belonging person from the same community but as a Pure Indian Citizen.So the questions lies here that 
''Why Patidars and due to them, all general communities are finding their way towards the Government offices with written applications?''
''Why government is unable to find the wording for the answers of their burning questions?''
Reservation was started due for raising the level of the economically clustered community after the Independency was gifted to us. But according to my knowledge it was only applied for ten years by Babasaheb Ambedakar. The problem that had happened is due to Black spotted politics of ruling party at that time because it wasn't ready to give up its vote bank and due to this baseless reason, RESERVATION was carried forward. The said 'political masters' of that time were not in a mood to give up their Govt. chairs and this is the basic reason for the birth of new leaders like HARDIK PATEL.
Let us think in a different way that ''why america, japan and other developed countries are 'DEVELOPED'?'', Not only because of there is no reservation there, but also due to reservation in India. Because the highly intelligent Young assets of India are going to give their precious talent there in other countries, and the reason is they are not getting expected respect and payments due to reservation in India.You can see clearly that all the top IT companies are having Indian CEOs. Isn't it a straight forward challenge to India? yes it is.
Now these all were the words of questions, so what is the solution of this? Should Indian government remove the Reservation? I will say no. There is not a single need to remove the reservation, the thing should be improved is "The Way and Aspects For making Someone Reserved".The reservation must be given on the economical bases other then the population of community. There are lots of families in General Quata whose monthly income is below 20000 rupees and who are totally dependent on the household businesses such as Agriculture, Sewing-work, Milk and lot more.Though being in economically backward class, they make their children educated at any cost in the ray of hope that he/she will get good job and the family's happy days will arrive, but after getting considerable merit marks, they can't get admissions in reputed colleges for medical as well as engineering due to reservation of particular category on particular seats with merit marks lower then them. Just think about it, How disgusting it is that quality is wandering for getting right place and quantity is ruling over them?. This is not a good economic practice for the growth of the Country called INDIA. 
Let's Hope that government will at least think on this topic for justice of society.

Sunday 19 July 2015

કંઈક મને સાંભરે

પથારી છોડતાંવેંત પરોઢે, પગતળેની ધરણીનો એ સ્પર્શ મને સાંભરે,
‘જલ્દી ઉઠ!’ના ભણકારે ઝરતો મારી મા-તણો એ સાદ મને સાંભરે.

શૂન્ય બનીને બેસી રહેતા, તાત-તણી એ વાતનો વિતર્ક મને સાંભરે,
હરેક વાતમાં એમના આપ્ત બનેલા સાથની નોખી ઝાંય મને સાંભરે.

જોબનવંતી વનિતાઓના વદને, ’ખુશ્બુ’ની મદ-સુગંધ મને સાંભરે,
એકમેકના હાથ ગૂંથવી, નિર્મેલો એ લાગણીસભર બંધ મને સાંભરે.

અંગે અડતા પાલિકા-જળથી, મારી મહી-તણા એ નીર મને સાંભરે,
ચા તો પીતાં પીવાય જાય, પણ નાસ્તામાં એ મીઠાશ મને સાંભરે.

એકલ ઓરડાની અનાથ-શી બારીએ, પંખીઓનો શોર મને સાંભરે,
કૃત્રિમ બાગ બગીચા નીરખી, તામ્રવર્ણ-શી મારી સીમ મને સાંભરે.

મરાઠી ને હિન્દીમાં હિલોળા લેતાં, મધમીઠી ગુજરાતી મને સાંભરે,
માનવ-દીવા તો જોયા,પણ માણસાઈના દીવાની જ્યોત મને સાંભરે.

અરેરે! સપ્ત્દીનોના સરવૈયામાં, કામ કરતા મારું ઠામ વધારે સાંભરે,
દી’ ગયા,આ સાલ પણ જવાનું, ‘બા’ની એ શાણી વાત મને સાંભરે.





Friday 17 July 2015

શિક્ષણનું વ્યાપારીકરણ

એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!

સસ્તામાં સસ્તા ભાવે અમારી ‘ફલાણા’માન્ય ‘દુકાન’ ધ્વારા ઈજનેરી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન અદ્યતન પ્રશાધાનોની મદદથી તમારા મગજમાં ગળે શીરો ઉતરે તેમ ઉતારવામાં આવશે અને એ પણ માત્ર અને માત્ર રૂપિયા ૧ લાખ પ્રતિ વર્ષના ‘નજીવા’ દરે!! ઇસસે સસ્તા ઓર અચ્છા કહી નહિ.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ!! મોકો ચુકતા નહિ.

આવી જાહેરાત કદાચ નજીકના ભવિષ્યમાં દૈનિકના પહેલા પાનાં પર જોવા મળે તો એટલીસ્ટ મને તો નવાઈ નહિ જ લાગે. કારણ કે મેં જે અનુભવ્યું છે અને હું જે પરિસ્થિતિ જોઉં છું એના અનુસંધાને આવનારા બે ચાર વર્ષોમાં આવું બનવાજોગ છે. આ વર્ષે ગુજરાત સરકાર ધ્વારા ખબર નઈ કયા માપદંડોના આધારે વધારારેલી અંદાજે અધધ.... ૭૨૦૦૦ સીટમાંથી ૧૫૦૦૦ સીટ ખાલી રહી. ૧૫૦૦૦ ખાલી રહી તો રહી પણ એમાંથી ૪૦૦૦ તો ઈજનેરીશાસ્ત્રના ભીષ્મ ગણાતા મીકેનીકલ ખાતામાં ભરાવવાની બાકી રહી.આ તો માત્ર ગુજરાતની જ વાત છે, બાકીના રાજ્યોનું તો શું ગણિત છે એનો વિચાર જ માંડી વાળવો રહ્યો...
                    આજથી ૪ વર્ષ પેહલા હું જયારે મીકેનીકલમાં દાખલ થયો ત્યારે પરિસ્થિતિ આટલી બધી વણસેલી નહતી. છેલ્લા ૧ ૨ વર્ષથી તો દર વર્ષે નવી ૭ કોલેજોને મંજુરી મળે છે અને એ પણ નોંધપાત્ર બેઠકો અને શાખાઓ સાથે!! ખબર નઈ કયા આધારે સરકાર આટલી બધી છૂટછાટ આપતી થઇ ગઈ.શિક્ષણનું સ્તર નીચું આવતું જાય છે અને બેઠકો વધતી જાય છે. બારમા ધોરણમાં ૩૯% મેરીટવાળો વિદ્યાર્થી પણ અત્યારે શોખથી કહે છે કે “ભાઈ આપડે તો એન્જીનીયરીંગ જ કરવાનું” અને કેમ ના બોલે યાર ! સરકાર મહેરબાન તો ઠોઠ પણ હોશિયાર. શિક્ષણનું આટલી હદે નિર્વસ્ર્ત્રીકરણ થાય એ હકીકત હજી મારા માનવામાં આવતી નથી. હમણાં તાજી જ ખબર એવી છે કે સરકારના ખરડા મુજબ જે વિદ્યાર્થીઓએ જેઈઈ પરિક્ષા માત્ર અપીયર કરી હોય એમને પણ એડમિશન આપો. કેમ? તો ખાલી સીટો ભરવા માટે... લ્યો!! હવે તો આગળ શું બોલાય!? જો આવું થવાનું હોય એ ખબર છે તો વધારે સીટ્સની મંજુરી શું કામ આપો છો? અને આ જ વણવિચાર્યા નિર્ણયોના લીધે બેરોજગારીનું પ્રમાણ પણ ભ્રષ્ટાચારની સમાંતર જ ‘દિન દુગુની રાત ચોગુની’ તરક્કી કરી રહ્યું છે. વળી અમુક સંસ્થાઓ તો કોઈ મલ્ટી નેશનલ કંપનીની માફક દર વરસે આશરે ૫૦૦૦ ઈજનેરોનું પ્રોડક્શન હાઉસ ખોલીને બેઠી છે. રાજ્યમાં કેટલા શિક્ષિત યુવાન છે એના કરતા કેટલા હાયલી ક્વોલીફાઈડ ગ્રેજ્યુએટ બેરોજગાર યુવાનો છે એની ગણતરી થાય તો કદાચ સરકારની આખો ખુલે અને એન્જીનીયરીંગને ધંધાકીય બનાવતી દુકાનો બંધ કરવાનો ખરડો પસાર કરે. ભણતર જરૂરીયાત મટીને બીઝનેસ બની ગયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ભણતા છાત્રના આખા એન્જીનીયરીંગના ચારેય વર્ષના ખર્ચનો સરવાળો કરીએ તો ફી થી માંડીને રહેવા જમવા અને સ્ટેશનરી સહીત આખું ગ્રેજ્યુએશન 5 થી ૬ લાખમાં પડે (આ તો ખાલી એસીપીસી મારફત પ્રવેશનો ખર્ચ છે બાકી ‘ડોનેશન’ આધારે પ્રવેશનો ખર્ચો તો ભાઈ જે એડમીશન લે એના વાલી અને સંસ્થાના ‘ટ્રસ્ટીઓ’ જ જાણે) અને અંતે જયારે પૂરું કરીને જોબ મેળવવાનો વખત આવે ત્યારે પાસે ખાલી હાથમાં સર્ટીફીકેટ અને કાને ‘પછી જણાવીશું’ એવા વાહિયાત ઉત્તર સિવાય કશું રહી જતું નથી. ઈજનેરી શાખામાં જ નહિ, બીજી ઘણી બધી શાખાઓમાં આ પરિસ્થિતિ થવા પામી છે અને આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક કોલેજોને અપાતી અંધાધુંધ મંજુરી છે.
વળી વાલીઓ પણ હવે તો ખબર અને ગતાગમ વગર જ સંતાનોને એમના રસ અને કેલીબર જોયા વગર જ ઈજનેર બનાવવા તલપાપડ થતા હોય છે.મારી એમને એટલી જ વિનંતી છે કે ઈજ્નેરીશાશ્ત્ર જ એકલો વિકલ્પ નથી, ઘણા બધા બીજા ઓપ્શન્સ છે જેમાં તમારુ બાળક પોતાની સ્વાધીનતા અને સાર્થકતા સિદ્ધ કરી શકે એવું હોય છે પણ એ નક્કી કરવાવાળા માત્ર તમે છો. ગાડરિયા પ્રવાહમાં વહેવા કરતા થોડી આઉટ ઓફ ધ બોક્ષ વિચારસરણી અપનાવીને જોવાનો વખત હવે પાકી ગયો હોય એમ લાગે છે.
અહી, સરકારનો પણ અભિગમ બદલાવો અનિવાર્ય છે કારણ કે જો આવી પરીસ્થિતિ દેખાવા છતાંય રાજકારણમાંથી તમે ઊંચા ના આવો તો પછી તમને કોઈ કારણ વગર જ રાજ કરવા માટે ચૂંટ્યા એ આમ જનતાનો દંડનીય અપરાધ ગણાય.
યોર્કર‘ટ્રસ્ટી’ શબ્દમાં ‘ટ્રસ્ટ’ ભલે આવતો હોય પણ એમના ‘ટ્રસ્ટ’થી કદાચ તો જ ત્રસ્ત થવાય.    





નાનકડો પ્રસંગ

અમન તો એ નરમદાનું સોખ્ખું પોણી ભાવતું જ નહિ, કયડું કયડું લાગ. એનથી તો અમાર બાયણે સે એ  કુવાનું હારું લાગ”
સીત્તેરી વટાવી ગયેલી એક વયોવૃધ્ધાના મુખેથી ઉદભવેલા આ શબ્દો મને વિચારતો કરી ગયા.
હજી નજીકના ભૂતકાળમાં ઉજાગરો કરીને પૂરી કરેલી ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ની અસર મારામાં ઘર કરી ગઈ હતી અને એવામાં આ બા સાથે અનાયાસે જ થયેલી વાતચીત અને એમનો નર્મદાના પાણી પરનો વિરોધાભાસ મને જરાક ખૂંચ્યો.
હા! વર્ષોની ટેવ અને ભૂગર્ભના પાણીના ભાવી ગયેલા સ્વાદના અનુસંધાને એમની આ વાત જો કે વ્યાજબી તો હતી જ, એટલે મેં મારી પેઢીના લોકોની ફિલ્ટર કરેલા પાણી પીવાની ટેવનો બચાવ કરતા માજીને કહ્યું,
“બા! એ તો ક્લોરીન નાખીને પાણી ચોખ્ખું અને પીવાલાયક કરતા હશે એટલે, અને એવું જ પાણી પીવું જોઈએ.”
ત્યાં તો ક્ષણાર્ધમાં જ પ્રત્યુત્તર મળ્યો, “હોવ ભઈ, પન એ બધું જે કરે એ, લે! મન અન મારા ઘરનોન તો પેલુ ડબ્લોમાં પોણી મલ દુકોનોમ એ હોવ ના ભાવ, અમાર તો કુવો જ ખરો ભઈ!”
બહારગામ જાઉં ત્યારે બિસલરી અને એક્વાફીનાની બોટલના પાણીનો હિમાયતી એવો હું, એ વયોવૃધ્ધાની આ વાત જાણે અંગીકાર કરી ગયો. એકબાજુ કિનારાના તમામ ગામ, શહેર અને જંગલના આદિવાસીઓના ગળાનું સિંચન કરતી ઉભયાન્વાયી સરિતા એવી નર્મદા નહેરમાં પરિવર્તિત થતાની સાથે થોડી અવહેલના પામે એ વાત મને જરા અજુગતી તો લાગી જ.
જે નદીની પવિત્રતાની લોકો સોગંધ ખાય છે અને વિપત્તિ સમયે ‘નર્મદે હર!’નું ઉચ્ચારણ કરે એવી આનંદ આપનારી રેવાના શીતળ જળબિંદુઓ આ બાને ‘કયડાં’ લાગે છે. નિરંતર અવનવા વ્યક્તીત્વોનું સર્જન કરનારે જે આછી ભેદરેખા બનાવી છે એ ન દેખાવા છતાં જોવા જેવી તો ખરી.

હા! વાતાવરણ અને સ્થાન તેમજ રહેનીકરણીના ઝાઝા તફાવતના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હજીય ખબર નઈ કેમ મને આ ઘટના અજુગતી જ લાગે છે! કદાચ ‘તત્વમસી’ની અસર હજી મનમાં ક્યાંક અકબંધ હશે અને રહેશે.  

Wednesday 1 July 2015

વિશ્વાસનો રકાસ

‘વિશ્વાસ’ : સ્પર્શી ન શકાય છતાં અનુભવી શકાતી લાગણી. જાણે-અજાણે, વાતે-વાતે જગતના તમામ લોકોના મોઢેથી લગભગ દરરોજ ઓછામાં ઓછો એક વાર તો આ શબ્દ સરતો જ હોય કે “ના લા! એ એવું ના કરે, મને એના પર વિશ્વાસ છે.” વિશ્વાસ એક સાર્વજનિક ધમની સમાન છે જે દુનિયાના હૃદયને હરહંમેશ આશાના રક્તપ્રવાહથી ધબકતું રાખે છે. જગ આખું વિશ્વાસની ધુરા પર ટકેલું વ્યતીત થાય છે.સવારે ઉઠવાથી લઈને રાત્રે સુતા સુધી એક એક મિનીટ કોઈના ને કોઈના પર ભરોસો રહે છે. પથારીમાંથી ઉભા થતાવેંત જ મમ્મીને દુધવાળા ભાઈ પર વિશ્વાસ હોય કે એ આટલા વાગે આવી જ જશે. આપણને મ્યુનીસીપાલીટીના નળ પર વિશ્વાસ હોય કે આજે પણ આમાં પાણી તો આવશે જ. બાથરૂમમાંથી બહાર નીકળતા નાકને મમ્મીના બનાવેલા ચા-નાસ્તાની સુગંધ પર વિશ્વાસ હોય તો કપડા ગઈ કાલે સાંજે ફોલ્ડ  થઇ ગયા હશે અને કબાટમાં એના નિર્ધારિત સ્થાન પર જ હશે એવો પત્ની પર વિશ્વાસ હોય. વળી ઘરમાંથી બહાર નીકળતાની સાથે રસ્તા પર રિક્ષા મળવાની જગ્યા પર વિશ્વાસ હોય.આવું બધું તો દિવસમાં અગણિત વાર થતું હોય છે, ભલે આપણને એનો અનુભવ ના થતો હોય પણ વિશ્વાસ મનના કોઈ ખૂણે મોજુદ હોય જ છે.
આ તો થઇ રોજીંદા વ્યવહારુ જીવનની વાત! જેમાં કદાચ વિશ્વાસ વ્યક્તિગત સ્વભાવમાં જ ગૂંથાયેલો હોય એટલે એની નોંધ જવલ્લે જ કોઈ લેતું હોય. પણ માંદગી વખતે ડોક્ટર પરનો વિશ્વાસ, ચૂંટેલા નેતા પર મુકાતો વિકાસનો વિશ્વાસ, પ્રેમિકાનો જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હોય એ પ્રિયતમ પરનો વિશ્વાસ. આ બધું ભરોસાની ચરમસીમાનો ચિતાર આપે છે. વિશ્વાસ એ વિશ્વ માટે એક ચાલકબળની ગરજ સારે છે. કદાચ એવું કલ્પાય કે પૃથ્વીને પણ હૃદય હોય તો નિસંદેહ એનો ‘શ્વાસ’ માણસોનો એકબીજા પ્રત્યેનો ‘વિશ્વાસ’ જ હશે.જેને અત્યાર સુધી માત્ર અને માત્ર માર્બલની મૂર્તિ સ્વરૂપે જ જોયા છે એ ભગવાન પરનો આપનો વિશ્વાસ ગળથૂથીમાં મળેલી મોંઘામૂલી સોગાદ છે. ભલે એ કઈ બોલે નઈ અને નક્કર પ્રતિભાવ આપે પણ એની સામે બંને હાથ જોડી નતમસ્તક થવાથી એટલો ભરોસો તો બેસી જ જાય છે કે તમામ મુશ્કેલીઓનું વહેલું મોડું નિદાન પાક્કું જ છે. આ લાગણી એટલે ‘વિશ્વાસ’.
હા! કોઈ પણ સિક્કાની બે બાજુ હોય એ હકીકત અહિયાં આ કેસમાં પણ લાગુ પડે છે. કોઈક વાર કોઈના પર મુકેલો વધારે પડતો વિશ્વાસ આપણને ‘અતિ સર્વત્ર વર્જયેત’ની યાદ અપાવી દેતો હોય છે. જેટલી વાતો વિશ્વાસ પર થઇ શકે એટલી જ (અને કદાચ તો એનાથી પણ વધારે) વાતો ‘વિશ્વાસઘાત’ પર થઇ શકે. છાપાઓમાં રોજબરોજ પ્રકાશિત થતા વિશ્વાસઘાતના કિસ્સાઓ અમુક વાર વિશ્વસનીયતા ને ડહોળી જાય છે. ચંદ અસામાજિક તત્વો ધ્વારા કરાયેલા વાહિયાત કૃત્યો વિશ્વાસને કલંકિત કરે છે. પહેલા જે વ્યક્તિઓ કહેતાં  કે ‘અરે ભલા માણસ! તમે ક્યાં ભાગી જવાના છો? તમારા પર વિશ્વાસ છે’ એ જ વ્યક્તિઓ આજે સ્ટેમ્પ પેપર વાપરતા થઇ ગયા છે, અને આ પરિવર્તનનો હું સાક્ષી છું. આ બધું વિચારતા એક જ નિશ્કર્ષિત સવાલ મને મૂંઝવી જાય છે કે ‘શું કારણ છે આ વણમાગ્યા પરિવર્તનનું?’. પણ જવાબો શોધવામાં વિશ્લેષક મગજને પણ ફાંફાં પડી રહ્યા છે. અને અંતે વિચારશૂન્ય અવસ્થા જ હાથવગી રહી જાય છે.
(થોડામાં ઘણું :- પૃથ્વીનો પણ જો ECG(electro-cardiography) રીપોર્ટ નીકળી શકતો હોત તો કદાચ જે નળી બ્લોક થઇ ગઈ છે એની બાયપાસ સર્જરી થઇ શકી હોત.)  


Friday 12 June 2015

ઋતુનો પહેલો વરસાદ

અધોગામી દિશામાં, આમ હાથવેંતમાં તો નઈ પણ થોડીક જ ઉંચાઈએ, પાણીની ઉષ્માભરી બાષ્પમાંથી આકાર લેતું શીતળ જળબિંદુ એ નથી જાણતું કે પોતે ક્યાં જઈને વિલય પામશે. પણ હા! એને મન એટલી સાંત્વના જરૂર હશે કે એ જ્યાં પણ વિલયિત થશે ત્યાં કદાચ એની ઠંડકનો તરસ્યો ‘મારા જેવો’ કોઈ રાહ જોતો હશે.
                     ઋતુની પહેલી વર્ષા જાણે કોઈ વણઉકેલાયેલી ‘પહેલી’ના ઉત્તર સ્વરૂપે ચહેરા પર કુદરતી R.O.ના પાણીનો ફુવારો મારી જતી હોય છે. વાદળનો ઘડઘડાટ ખેતરના પાળે બેઠેલા ખેડુતના ચહેરા પરથી પાકની સિંચાઈની સમસ્યાને અલવિદા કરી દે છે. બંજર રણપ્રદેશનો કોઈ ‘રણખેડુ’ વરસભરની કાળઝાળ ગરમીથી પોતાની જાતને અળગી થતી મહેસૂસ કરે છે.
                    આ તો થઇ એકદમ સામાન્યતઃ જોવા મળતી પરિસ્થિતિ. પણ આ બધાની વચ્ચે કોઈ એવું પણ હોય છે જે આકાશમાંથી ખરતી વરસાદની ધારના અરીસામાં પોતાના  ભૂતકાળનું પ્રતિબિંબ જોતું હોય છે. માટીની ભીની ‘ખુશ્બુ’માં કોઈક તો હોય જ, જે એના અતીતની પુમાસથી તરબતર થતું હોય છે. વર્તમાનમાં ભલે ખુશીથી ઠાંસીને ભરેલું હોય, પણ ક્યાંક તો જૂની યાદો અને જુના કિસ્સા એની આંખોમાંથી અશ્રુબિંદુના આકારે ગાલ પર સરકીને વાંકીચુકી ભીની રેખાઓ ચહેરા પર અંકિત કરી જાય છે. મનના કોઈ ખૂણે કેદ કરેલી સ્મૃતિઓ એક પછી એક slideshow ની માફક વરસાદના ચિત્રપટ પર ફ્લેશ થવા લાગે છે. આ ‘કોઈ’ તમે પણ હોઈ શકો કે હું પણ હોઈ શકું કે પછી ‘પ્રેમ’ કરી ચૂકેલું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે.
                      પહેલો વરસાદ ખેડૂતો માટે ભવિષ્યની ઝાંખી લઈને આવે છે જયારે સાગરખેડુને વર્તમાન પરિસ્થિતિ માટેની ચેતવણી આપે છે પરંતુ માત્ર એકવાર પણ મોહબ્બતનો મુરબ્બો ચાખી ચુકેલાઓ માટે એ વર્તમાનના ઝાકળ પર યાદોના પ્રકાશથી ભૂતકાળને ચમકાવી જાય છે. સીઝનનો પહેલો વરસાદ એ સમજાવી જાય છે કે ‘જો ભયલુ! અતીત એ કોઈ દુખદ ઘટના નથી કે જેને યાદ કરીને હંમેશા ઉદાસ જ થવું જોઈએ’ ઉલટાનું એવો સંદેશ આપે છે કે ‘સમય જતો રહે છે અને પછીથી માત્ર એની યાદોની પગદંડી જ રહી જાય છે. એટલે મન મુકીને અતીતના વાદળ છોડી ભવિષ્યની ધરતી પર મુશળધાર વરસી પાડો એ જ વર્તમાન’.

(તા.ક. :-  જો કે પહેલા વરસાદ પછીના તમામ વરસાદ માત્ર કીચડ અને કાદવ જ ઉત્પન્ન કરતા હોય છે પણ આ તો ખાલી પહેલા વરસાદની જ વાત છે.)

Sunday 24 May 2015

વાત અમારા પ્રોજેક્ટની



છેલ્લા ૧ વર્ષની મહેનત અને એન્જીનીયરીંગની ચાર વર્ષની સાધના તેમજ સનાતન પરબ્રહ્મ પરમાત્મા તરફથી મળેલા સહયોગની ફળશ્રુતિ સ્વરૂપે ૨૪ અને ૨૫ મે ૨૦૧૫ની સવારના અખબારમાં નામ અને પ્રોજેક્ટની પ્રેસ નોટ જોઇને હૈયું હિલોળે ચઢ્યું. આજકાલના પેઈડ ન્યુઝના જમાનામાં કોઈ એક પણ રૂપિયો લીધા વગર માત્ર અમારા પ્રોજેક્ટની યુનીક્નેસ જોઇને જ સમાચાર છાપે એવા અખબાર પર ગર્વ જરૂરથી લેવું જોઈએ.થેંક યુ  સંદેશ અને દિવ્ય ભાસ્કર.
અમારી ટીમના બાકીના ત્રણેય સભ્યો મૃગેશ, હિરેન અને કેનલના સાથ તેમજ વ્યોમેશ સર જેવા માર્ગદર્શક વગર આ શક્ય નહતું. મસ્તી મસ્તીમાં જ કરેલું કામ  અને વધેલા પૈસાના કરેલા નાસ્તા યાદ રહેશે.અહી ભાવનગરના માયાળુ માનવી એવા રફીકભાઈની સહાય અકલ્પનીય રહી. 
અહી એક ઉલ્લેખ કરવો જરૂરી સમજુ છું કે મારા મમ્મી પપ્પાએ આમ તો મારું નામ પેપરમાં આના કરતા પેહલા બે-ત્રણ વાર જોયું હશે પણ આજે કૈક ખાસ હતું કારણ કે જ્યારે પણ ૧૨માં ધોરણના સમયે પેપરમાં કોઈ સારા પ્રોજેક્ટનું નામ અને બનાવવાવાળા વિદ્યાર્થીઓની તસવીર છપાતી ત્યારે હું પપ્પાને કેહતો કે "પપ્પા ચાર વર્ષ પછી આપડું પણ આવશે"!!! આજે મારા અને મમ્મી-પપ્પાના અનેક સહિયારા સપનાઓમાનું એક  પૂરું થયું એમ જણાવવામાં કોઈ અતિશયોક્તિ નથી.જો કે આ તો શરૂઆત છે, હજુ મંઝીલ પહેલા ઘણો પથ કાપવાનો બાકી છે. 

Friday 10 April 2015

I KNOW

I know myself,
But not more than you do the same thing.

I enjoyed that time,
When you were just half mm far from me.

I was just a piece of blank paper having an empty canvas,
Only You were the all ‘colors and designs’ embossed on it.

I regret those misdeeds,
For Which you always tried to console me.

I just made my efforts,
They all bloomed as success all due to you.

We couldn’t get ‘one’ and  won’t be able to make that happen,
Though in the deepest valley of heart, you will always be there.

I know my horizon well,
That’s why I know, you were beyond that.

Coz I am that ‘raw’ which needs your circumtance as a burnisher. 



Tuesday 3 February 2015

THE UNTITLED

I want to be a bird,whose joy is endless on the earth.
I want to fly over the sky,Where enjoyment takes the birth.
I don't need any tension like some,I need freedom which has the worth.
I won't take my problems there,Disturbing me like a railway berth.
My conflicts will be far at WEST,I want to live my life in NORTH.
I want only and only someone special there,My parents who gave me the birth.
I want to be a bird,Whose joy is endless on the earth.!!!!

Friday 16 January 2015

ગામઠી

થાય સે હવાર મસ્ત જાડ્ડી રજઈમાં ગરમાઈને
‘ઊઠું’ ને ‘ના ઊઠું’ બેય લડે છે મગજ ખાઈને

આજ તો ઊઠી જ જઉ અન ઘાંટા પાડું ગામમાં
ઉ પણ નહિ કાચો પોચો દીધેલા કોઈ કામમાં

પસી થ્યું ક વેલ્લા હુઈને વેલ્લા ઉઠે એ વીર
પણ નકોમી વીરતા હારે તારે ચાં જવું કશ્મીર?

કલ્લાકેક થઇ ગ્યો ને થ્યું લાય અવે તો ઊઠું
ટુંટીયાવાળો વેશ બદલીને બની ગ્યો સીધું ઠુંઠું

ટાઢમાં થથરતો પરવાર્યો ને થ્યું લાય કૈક લખું
મન પણ ઠર્યું ને એણે વિચાર્યું આ ‘ગામઠી’ ડખું.
                                                        
                                                                                                                              -ભાર્ગવ પટેલ "અપૂર્ણ"

Monday 5 January 2015

કંટાળો

કોઈ મહાપુરુષે સાચું કહ્યું છે કે “અનુભવ એ લેખનની માતા છે” (પુછતા નઈ કે કયા મહાપુરુષે એમ!!J). શીર્ષક વાંચતાની સાથે તમને અંદાજ આવી ગયો હશે કે આ લેખ માટે માતાનું કામ કોણે કર્યું હશે!! કંટાળો આવવાના THUMB RULE સમાન કારણો અને તેના વિવિધ પ્રકારોરૂપી વ્યંગબાણોને મારી ભાષાશૈલીના ધનુષ થકી, તમારા મનમાં બિરાજમાન કંટાળાને નિશાન બનાવવાનો આ પ્રયાસ ‘અચૂક’ નીવડે એવી અભિલાષા.
કંટાળાની ‘અ’સામાન્ય વ્યાખ્યા મેં કંઈક આ રીતે આપી છે :- “મન અને બુદ્ધિ કોઈ કામમાં પરાણે પરોવાયેલા હોય અને ચિત્ત કોઈક જુદા જ રાગ આલાપતું હોય ત્યારે ઉત્પન્ન થતી પરિસ્થિતિ એટલે કંટાળો”. જો કે આ વ્યાખ્યા કંઈ અનન્ય નથી કારણ કે લોકમાનસના આધારે તેની અલગતા સ્વાભાવિક છે. તેમ છતાં વર્ષોથી (ATLEAST હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી) કંટાળાનું વર્ચસ્વ જગતના તમામ ક્ષેત્રોમાં વ્યાપ્ત છે. સામાન્ય મજુરથી માંડીને માલેતુજારો સહિતના વર્ગોમાં આ મીઠી સમસ્યા દરેકને નડે છે એમાં કોઈ બેમત નથી.
કંટાળાના વિવિધ પ્રકારો અને તેના પ્રકારોમાં જ છુપાયેલા કારણો મારા મન દ્વારા કંઈક આ મુજબ વર્ણવાયા છે:
(૧)વ્યક્તિગત કંટાળો :-
દરેક એવી વ્યક્તિ જે રોજીંદા ‘નોકરી’ગત સમયપત્રકને FOLLOW કરે છે તેમના જીવનમાં કંટાળો દર અઠવાડિયે એક વાર આવે અને એ દિવસ છે ‘સોમવાર’. જેને વ્યક્તિગત કંટાળા તરીકે હું ઓળખું છું. વળી આ વાત કોઈ કોલેજીયનને પણ લાગુ પડે છે કારણ કે સોહામણી રાત જેવો રવિવાર વિદાય લે અને વળતી સવારે ‘ખૂન ચુસ લે’ જેવો બિહામણો સોમવાર આવે ત્યારે ફરીથી ROUTINEમાં પરોવાઈ જવા માટે જે જહેમત ઉઠાવવી પડે એ તો ભાઈ જેના પર વીતે એ જ જાણે!!(શું કહેવું?)!!
(૨)સ્વભાવગત કંટાળો :-
આ પ્રકાર થોડો ‘હટકે’ છે. સ્વભાવગત કંટાળો સામાન્ય રીતે કોઈ વ્યક્તિના સ્વભાવમાં જ (સૌરાષ્ટ્રના ગાંઠીયાની જેમ) વણાયેલો હોય છે. આવા લોકો GENERALLY આપણા સમાજમાં ‘આળસુના પીર’ તરીકે પ્રતિષ્ઠા પામેલા હોય છે, જેમનો કંટાળો માત્ર પલંગ અને એમના શરીરના ‘સ્નેહમિલન’થી જ દુર થતો હોય છે.
(૩)કાર્યગત કંટાળો :-
કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને જોવા મળતો પ્રકાર એટલે કાર્યગત કંટાળો. ભૂલથી તમે એવું કોઈ કામ હાથમાં લઇ લો કે જેની ફળશ્રુતિ સ્વરૂપે ‘કંટાળા મહારાજ’ જ પ્રાપ્ત થાય.(પછી આમાં કર્મણ્યે વાધિકારસ્તે  વાળી PHILOSOPHY જ વાપરવી પડે. J)(ACTUALLY આ લેખ આવા  પ્રકારના કંટાળાની જ ફળશ્રુતિ છે.
દા.ત., B.E. FINAL YEAR માટે GATEની તૈયારી, MBBS FINAL YEAR માટે MCIની તૈયારી,B.A. PASS માટે TETની તૈયારી, ETC ETC J).

પરંતુ કંટાળા વિષે એક વાત તો સારી છે જ કે “એ આવે છે કઈ દિશામાંથી ખબર નઈ, પણ આપણને કંઈક PRODUCTIVE કરવાની દિશા તરફ ધકેલતો જાય છે.” એટલે ટૂંકમાં 'કંટાળો એ એવી ફળદ્રુપ જમીન સમાન છે જેના ઉપર વિચારોની રોપણી કરીને આત્મમંથનરૂપી ‘પાક’ની લણની કરી શકાય છે.'